ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણસાગર-૨

Revision as of 12:32, 8 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ગુણસાગર-૨ [ઈ.૧૬૨૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં મુક્તિસાગર(રાજસાગરસૂરિ)ના શિષ્ય. ૭૨ કડીની ‘સમ્યક્ત્વમૂલ-બારવ્રત-સઝાય’ (ર.ઈ.૧૬૨૭/સં. ૧૬૮૩, મહા સુદ ૧૩, શુક્રવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧).[ચ.શે.]