ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જમુનાદાસ-૧

Revision as of 06:24, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જમુનાદાસ-૧ [ઈ.૧૬૪૩માં હયાત] : અવટંકે જાની. ગોપાલદાસ વ્યારાવાળાના ‘ગોકુલેશરસાબ્ધિક્રીડાકલ્લોલ’ના ગુજરાતપ્રસંગ વિષયક બીજા તરંગ ‘રસિકરસ’ (ર.ઈ.૧૬૪૩; મુ.)નાં પહેલાં ૫ માંગલ્યોની પુષ્પિકામાં આ કવિનું સહકર્તૃત્વ નિર્દેશાયેલું છે. કૃતિ : અનુગ્રહ, નવે. તથા ડિસેં. ૧૯૫૪ - ‘રસિકરસ ગ્રંથ’, સં. ચીમનલાલ મ. વૈદ્ય (+સં.).[કી.જો.]