ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયવિજય

Revision as of 06:50, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જયવિજય : આ નામે ૧૭૭ કડીની ‘પ્રેમવિલાસ-ચોપાઈ’ (લે.ઈ.૧૭૨૦), ૭ કડીનું ‘સીમંધરજિન-સ્તવન’ (મુ.) તથા ૮ કડીની ‘નેમિજિન-સ્તવન’એ કૃતિઓ મળે છે આ જયવિજય કયા તે નક્કી થઈ શકે તેમ નથી. જયવિજયને નામે ૭૯ કડીની ‘પાર્શ્વનાથ-રાગમાળા’ (ર.ઈ.૧૭૦૪થી ઈ.૧૭૧૩ વચ્ચે) નોંધાયેલી મળે છે તે જયવિજય-૫ હોવાનું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : જિસ્તકાસંદોહ : ૨. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી.; ૨. લીંહસૂચી.[ર.ર.દ.]