ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયશેખર સૂરિ-શિષ્ય

Revision as of 06:53, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જયશેખર(સૂરિ)શિષ્ય [ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : જૈન. અંચલગચ્છના જયશેખરસૂરિ (ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય. જયશેખરસૂરિની હયાતીમાં રચાયેલી, શૃંગારવર્ણન સાથે જયશેખરસૂરિના સંયમધર્મનો મહિમા કરતી ૨૨ કડીની ‘જયશેખરસૂરિ-ફાગ’(મુ.)ના કર્તા. કૃતિ : આર્ય-કલ્યાણ-ગૌતમસ્મૃતિગ્રંથ, સં. કલાપ્રભસાગરજી, સં. ૨૦૩૯ - ‘અંચલગચ્છેશ્વર શ્રી જયકીર્તિસૂરિ અને કવિ ચક્રવર્તી પૂજ્યશ્રી જયશેખરસૂરિ પર ફાગુકાવ્યો’, સં. કલાપ્રભસાગરજી.[કી.જો.]