ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જશવિજય-૧

Revision as of 11:17, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જશવિજય-૧ [ઈ.૧૬૦૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વાચક વિમલહર્ષના શિષ્ય. ધર્મઘોષસૂરિના પ્રાકૃત ગ્રંથ ‘લોકનાલ’ ઉપર ૨૮૪ ગ્રંથાગ્રના બાલાવબોધ (ર.ઈ.૧૬૦૯)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી.[ર.સો.]