ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જસાનંદ

Revision as of 11:24, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જસાનંદ [ઈ ૧૬૭૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ગુણાનંદના શિષ્ય. ‘યશોનંદ’ એ નામથી નોંધાયેલા આ કવિના ૬૨૧ કડીના ‘રાજસિંહકુમાર રાસ (નવકારરાસ). (ર.ઈ.૧૬૭૦/સં. ૧૭૨૬, આસો સુદ ૨, મંગળ/શુક્રવાર)માં કર્તાનામ જસાનંદ જ નોંધાયેલું છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.[શ્ર.ત્રિ.]