ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિતવિમલ

Revision as of 11:30, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જિતવિમલ : આ નામે ૨૨૫ ગ્રંથાગ્રના ‘ઋષભપંચાશિકા-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૮૮) મળે છે તે જિતવિમલ-૧ હોવાની સંભાવના છે. પણ તે વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨).[ર.સો.]