ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનકુશલ-૧

Revision as of 11:32, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જિનકુશલ-૧ [ઈ.૧૬૨૨માં હયાત] : જૈન સાધુ. ‘અગડદત્તચોપાઈ’ (ર.ઈ.૧૬૨૨)ના કર્તા. ઉપર્યુક્ત જિનકુશલ તે તપગચ્છના હાનર્ષિગણિની પરંપરામાં થયેલા દામર્ષિગણિશિષ્ય જિનકુશલગણિ હોય તો તેમની રણથંભોરના મહામાત્ય ખીમસિંહ અગ્રવાલ વિશેની ૮ સર્ગની ‘પુણ્યપ્રકાશકાવ્ય’ (ર.ઈ.૧૫૯૪) તથા ૨૦ કડીની ‘પાર્શ્વનાથતીર્થમાલા-સ્તવન’ (ર.ઈ.૧૫૯૬) એ કૃતિઓ પણ નોંધાયેલી મળે છે. આ જિનકુશલગણિ ઈ.૧૬૬૪ સુધી હયાત હોવાની માહિતી મળે છે. સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, મુનિશ્રી દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૪;  ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]