ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનશેખર

Revision as of 11:46, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જિનશેખર [               ]: જૈન સાધુ. જિનતિલકસૂરિના શિષ્ય. ‘શેખર’ એ નામછાપ ધરાવતી ૨૫ કડીની ‘ચતુર્વિંશતિ-નમસ્કાર’ એ કૃતિના કર્તા. લઘુખરતરગચ્છની શ્રીમાળી શાખાના ૧૫મી સદી પૂર્વાર્ધમાં હયાત જિનતિલકસૂરિના શિષ્ય હોવાની સંભાવના. સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૨, મુનિશ્રી દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૦;  ૨. જૈગૂકવિઓ : ૩(૨).[શ્ર.ત્રિ.]