ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીવરુચિ

Revision as of 12:52, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જીવરુચિ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભની પરંપરામાં પંડિત પુણ્યરુચિ (ઈ.૧૬૨૨માં હયાત)ના શિષ્ય. ૧૬ કડીની ‘જીવને ઉપદેશની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસસંગ્રહ(જૈ.); ૨. જૈસમાલા (શા.) : ૩.[ર.સો.]