ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનનિધાન

Revision as of 05:12, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જ્ઞાનનિધાન [ઈ.૧૬૬૩માં હયાત] : ખરતરગચ્છના કીર્તિરત્ન શાખાના જૈન સાધુ. કુશલકલ્લોલની પરંપરામાં મેઘકલશના શિષ્ય. ‘વિચાર-છત્રીસી’ (ર.ઈ.૧૬૬૩/સં. ૧૭૧૯, વૈશાખ-૧૨, શુક્રવાર) એ ગદ્યકૃતિના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]