ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દારબ-૧

Revision as of 12:35, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દારબ-૧ [જ. ઈ.૧૬૫૭] : પારસી દસ્તૂર. પિતાનામ પાહલન. જંદ, પહેલવી, ફારસી અને સંસ્કૃતના અભ્યાસી. ‘ખોલા-શા-એ-દીન’ (ર.ઈ.૧૬૯૦) તથા ‘ફરજિયાત નામેહ’ (ર.ઈ.૧૬૯૨) નામના ગ્રંથોના કર્તા. આ ઉપરાંત એમણે ‘ખુરદેહ અવેસ્તા’નો ગુજરાતીમાં અને સંસ્કૃતમાં અનુવાદ કરેલ છે. તથા ફારસીમાં કેટલીક મોનાજાતો પણ રચેલી છે. સંદર્ભ : પારસી સાહિત્યનો ઇતિહાસ, પીલાં ભીખાજી મકાટી, ઈ.૧૯૪૯. [ર.ર.દ.]