ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવરત્ન-૩

Revision as of 13:19, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દેવરત્ન-૩ [                ] : આગમગચ્છના જૈન સાધુ. ગુણરત્નસૂરિના શિષ્ય. ‘ગજસિંહકુમાર-રાસ’ના કર્તા. કૃતિનો સમય ઈ.૧૪૫૭ આસપાસનો ગણવામાં આવેલો છે. આ સઘળી માહિતી ભૂલભરેલી હોય અને કવિ વસ્તુત: દેવરત્ન-૨ હોય એવી પણ સંભાવના છે. સંદર્ભ : જૈસાઇતિહાસ [ર.ર.દ.]