ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધીરવિજ્ય

Revision as of 13:12, 18 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ધીરવિજ્ય : આ નામે ૯ કડીની ‘અક્ષયનિધિતપનું ચૈત્યવંદન’ (મુ.), ‘મૌનએકાદશી-કથાનક’ (ર.ઈ.૧૭૧૮), ૧૭ કડીની ‘સચિત્તઅચિત્તવિચાર’ અને યશોવિજ્યના ‘સીમંધર-સ્તવન’ પરનો બાલાવબોધ (લે.ઈ.૧૭૯૦) એ કૃતિઓ મળે છે પણ એ કયા ધીરવિજ્યની છે તે નક્કી થતું નથી. ‘મૌન એકાદશી-કથાનક’ તે કદાચ ધીરવિજ્ય-૨નો ‘મૌન એકાદશી-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૨૮) હોય ને ર.ઈ.માં કંઈ ભૂલ થઈ હોય. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]