ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરશેખર

Revision as of 07:06, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નરશેખર [                ] : જૈન સાધુ. ગુણસાગર સૂરિની પરંપરામાં શાંતિસૂરિના શિષ્ય. ૭૦ કડીના ‘પાર્શ્વનાથ-પત્ની પ્રભાવતીહરણ’ના કર્તા. પિપ્પલકગચ્છના ગુણસાગરશિષ્ય શાંતિસૂરિ ઈ.૧૪૯૮માં હયાત હતા. એમના આ શિષ્ય હોય તો એ ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધમાં થયા ગણાય. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]