ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ફ/ફૂલકુંવરબાઈ

From Ekatra Wiki
Revision as of 09:41, 1 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ફૂલકુંવરબાઈ [જ. ઈ.૧૭૫૨/સં. ૧૮૦૮, મહા વદ ૧] : પુષ્ટિમાર્ગીય ભરૂચી વૈષ્ણવ કવયિત્રી. કપડવંજના વેણીભાઈ દેસાઈનાં પુત્રી. તેમણે રચેલી ‘વિરહ વિનંતી’ સંપ્રદાયમાં સુપ્રસિદ્ધ છે. તેમના સંગથી અનેક વૈષ્ણવો ભરૂચી વૈષ્ણવો થયાનું નોંધાયું છે. સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો. [શ્ર.ત્રિ.]