ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહિમાસમુદ્ર

From Ekatra Wiki
Revision as of 11:47, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મહિમાસમુદ્ર [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. ‘હરિબલ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૦/સં.૧૭૦૬, જેઠ વદ-), ‘ઉત્તમકુમાર (નવરસસાગર)’ (ર.ઈ.૧૬૭૬/સં.૧૭૩૨, કારતક વદ ૧૨), ‘વસુદેવ-ચોપાઈ’, ‘રુક્મિણીચોપાઈ’ તથા ‘ઋષિદત્તા-ચોપાઈ’ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારો કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા. [ર.ર.દ.] મહિમાસાગર : આ નામે ‘ગજસુકુમાલઋષિ-સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.) તથા ૨૧ કડીની ‘પાર્શ્વનાથનાથ-કલશ’ નામની કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા મહિમાસાગર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]