ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મૂલચંદજી-૧

Revision as of 04:39, 8 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મૂલચંદજી-૧ [ઈ.૧૮૦૨માં હયાત] : લોંકાગચ્છના કચ્છ સંઘાડાના જૈન સાધુ હોવાની સંભાવના. કૃષ્ણજીશિષ્ય ડાહ્યાજીના શિષ્ય. ૩૮ કડીની ‘દિવાળી-છત્રીસી’ (ર.ઈ.૧૮૦૨; મુ.) અને ‘નેમબહોંતેરી’(મુ.)ના કર્તા. કૃતિ : વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. પૂનમચંદજી, ઈ.૧૯૮૨.[શ્ર.ત્રિ.]