ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીકીર્તિ-૧

Revision as of 10:52, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લક્ષ્મીકીર્તિ-૧ [ ] : ખરતરગચ્છના જૈન સાધુ. નવકારમંત્રનું અહર્નિશ ધ્યાન પાપમય જીવનને કેવું નિર્મળ બનાવે છે તેનું વિવિધ દૃષ્ટાંતો આપી નિરૂપણ કરતી અને એ મંત્રનો મહિમા દર્શાવતી ૧૬ કડીની ‘નવકારફલ-ગીત’(મુ.)ના કર્તા. કૃતિ : નસ્વાધ્યાય : ૩ (+સં.). [કા.શા.]