ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લબ્ધિસાગર-૨

Revision as of 11:59, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લબ્ધિસાગર-૨ [ઈ.૧૭૧૪માં હયાત] : ખરતરગચ્છની માણિક શાખાના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં જયનંદનના શિષ્ય. ‘ધ્વજભુજંગકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૪/સં.૧૭૭૦, આાસો વદ ૫, શનિવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [ર.ર.દ.]