ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લલિતસાગર

Revision as of 12:00, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લલિતસાગર : આ નામે ચોપાઈ ને દુહાના બંધમાં ૩૦/૩૧, ૪૬ અને ૬૩ કડીના ૩ ‘શનિશ્ચરનો છંદ’(મુ.), ૧૨ કડીની ‘શત્રુંજયતીર્થ મહિમ્ન-સ્તોત્ર’ (ર.ઈ.૧૬૪૫/સં.૧૭૦૧, પોષ વદ ૫) તથા ૬ કડીનું ‘અભિનંદન-સ્તવન’ - એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા લલિતસાગર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : પ્રાછંદસંગ્રહ; ૨. શનિશ્ચરની ચોપાઈ આદિક લઘુગ્રંથોના સંગ્રહનું પુસ્તક, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨. સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. [ગી.મુ.]