ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાંતિસાગર-ગણિ-૧

Revision as of 16:25, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શાંતિસાગર(ગણિ)-૧ [ઈ.૧૬૫૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગર-શ્રુતસાગરશિષ્ય. મૂળ સંસ્કૃત કૃતિ ‘કર્મવિપાકપ્રથમગ્રંથ’ પરના સ્તબકના કર્તા. ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર : ૧’માં સ્તબકનું નામ ‘કર્મસ્તવકર્મગ્રંથ સ્તબક’ મળે છે. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]