ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સિંહવિનય

Revision as of 09:50, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સિંહવિનય [ઈ.૧૬૧૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. શિવનિધાનના શિષ્ય. ‘ઉત્તરાધ્યયન-ગીત’ (ર.ઈ.૧૬૧૯/સં.૧૬૭૫, શ્રાવણ વદ ૮)ના કર્તા. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [ર.ર.દ.]