ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુખસાગર

Revision as of 10:16, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સુખસાગર : આ નામે ‘દશવિધયતિધર્મ-સઝાય’ (લે.ઈ.૧૭૫૦), ‘કલ્પસૂત્રભાસ-ગહુંલી’ (લે.સં.૧૯મી સદી અનુ.) તથા ૫૨ કડીની ‘સાધુગુણમાલિકા’ મળે છે તેમના કર્તા કયા સુખસાગર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા;  ૨. રાહસૂચી : ૨; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]