ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અવિતથવાદ

From Ekatra Wiki
Revision as of 12:24, 19 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અવિતથવાદ (Verism) : કલા અને સાહિત્યમાં ચુસ્તપણે અને સંપૂર્ણપણે વાસ્તવનું પ્રતિનિધાન થવું જોઈએ એવો આ વાદનો દૃઢ આગ્રહ છે. તેથી આ વાદ બીભત્સ, કુત્સિત અને અશ્લીલનો પણ એમાં સમાવેશ કરે છે અને જે વાસ્તવિક છે એને નિરૂપિત કરે છે. ડી. એચ. લોરેન્સ જેવાને વિવેચકો અવિતથવાદી ગણે છે. ચં.ટો.