ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાર્યસિદ્ધાંત

Revision as of 15:07, 22 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



કાર્યસિદ્ધાન્ત (Act theory) : કાર્યસિદ્ધાન્ત અને વસ્તુસિદ્ધાન્ત (Object theory) વચ્ચે સૂચક ભેદ છે. સાહિત્યને આશયલક્ષી વર્તનના ભાગ રૂપે જોનારો સિદ્ધાંત કાર્યસિદ્ધાન્ત છે. આ સિદ્ધાંત આશયલક્ષી વર્તનના પ્રકાર રૂપે સાહિત્યને જોતો હોવાથી સર્જક અને ભાવકની અભિવૃત્તિને આવશ્યક રીતે સાંકળે છે, જ્યારે સાહિત્યનો વસ્તુસિદ્ધાન્ત સાહિત્યને આશયલક્ષી ક્રિયાના ભાગ રૂપે નહિ પણ માનવહેતુઓ અને આશયોથી અતિરિક્ત એક વસ્તુ રૂપે સાહિત્યને જુએ છે. આથી વસ્તુસિદ્ધાંત સાહિત્યકૃતિને એક સ્વતંત્ર અસ્તિત્વ રૂપે સ્વીકારે છે. ચં.ટો.