ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુરુપરંપરા

Revision as of 10:54, 25 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



ગુરુપરંપરા: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કૃતિઓના કર્તા દ્વારા કવિ તથા કૃતિના પરિચયરૂપ કળશમાં જન્મ-સંવત, જન્મસ્થળ, ક્વચિત્ માતા-પિતાનાં નામ, પોતાનાં ગણિ, ઉપાધ્યાય અને આચાર્ય જેવાં પદ તથા ગચ્છ અને ગુરુપરંપરા વગેરે ચરિત્રાત્મક માહિતી મૂકવાની પ્રણાલિ હતી. ગુરુપરંપરા અંતર્ગત પાંચ-સાત પૂર્વગુરુઓનાં નામ-પદનો નિર્દેશ કરવામાં આવતો. કળશમાંની સૂચિત સામગ્રી પૈકી ગુરુપરંપરાના ગચ્છાનુસારી સંચયને ગુર્વાવલી/પટ્ટાવલી કહેવામાં આવે છે. ર.ર.દ.