ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચરિત્રદોષ

Revision as of 14:01, 25 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ચરિત્રદોષ (Hamartia) : અજ્ઞાનને લીધે અથવા કોઈક ક્ષણિક દૌર્બલ્યને લીધે પાત્ર દ્વારા નિર્ણય લેવામાં કરાતી સૂચક ભૂલ. ઍરિસ્ટોટલ ‘પોએટિક્સ’માં કરુણાન્તિકાના નાયક (tragic hero)નાં લક્ષણોની ચર્ચામાં આ સંજ્ઞા પ્રયોજે છે. તે અનુસાર આ પ્રકારના નાટકનો નાયક ઉપર મુજબની કોઈ વ્યક્તિગત ભૂલને કારણે પોતાનું દુર્દૈવ નોતરે છે. પ.ના.