ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નેતિવાદ

Revision as of 05:09, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નેતિવાદ (Nihilism) : સ્થાપિત મૂલ્યોના સંપૂર્ણ અસ્વીકારનું વલણ દર્શાવતી આ વિચારધારા અશ્રદ્ધાવાદના અંતિમ દૃષ્ટિબિંદુનું સૂચન કરે છે. સત્ય અને શ્રદ્ધાના કોઈપણ આધારનો વિરોધ કરતો આ વાદ સાહિત્યમાં અસ્તિત્વવાદના સ્વરૂપમાં દાખલ થયો. આમ માનવઅસ્તિત્વની હેતુવિહીનતાની ચર્ચા કરતી ‘વેઇટિંગ ફૉર ગોદો’ જેવી સાહિત્યકૃતિઓ અસ્તિત્વમાં આવી. ચં.ટો.