ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાવાભાસ

Revision as of 11:22, 1 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ભાવાભાસ : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં રસાભાસની જેમ ભાવાભાસને પણ અનૌચિત્ય પર આધારિત ગણ્યો છે. ભાવનું અનુચિત વર્ણન તે ભાવાભાસ છે. રસની અપેક્ષાએ ભાવ સીમિત છે. વિશ્વનાથે વેશ્યાના લજ્જાપ્રદર્શનને ભાવાભાસ ગણ્યો છે. ચં.ટો.