ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વેદનાવાદ

From Ekatra Wiki
Revision as of 12:19, 3 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વેદનાવાદ(Agonism) : પાસ્કલ અને કિર્કગાર્ડ, નિત્શે અને દોસ્તોયેવસ્કી જેવા વેદનાના ફિલસૂફોએ આપેલી જીવન અંગેની વેદનાપ્રતીતિ આધુનિકતાની ઝુંબેશ પાછળ ચાલકબળ છે અને આ વેદનાપ્રતીતિમાં તણાવ કેન્દ્રસ્થાને છે. રેનાતો પોગિઓલીએ આ વેદનાવાદમાં આધ્યાત્મિક પરાભવનું અશક્ય અને વિરોધીભાસી રૂપ તારવેલું છે. ચં.ટો.