ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યુત્પત્તિવિચાર

From Ekatra Wiki
Revision as of 12:26, 3 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વ્યુત્પત્તિવિચાર (Etymology) : શબ્દોનાં ઉદ્ગમ, રચના અને વિકાસનું અધ્યયન કરતી ભાષાવિજ્ઞાનની શાખા. નૃત્ય > નાચ અને ઉપાધ્યાય > ઓઝા જેવા ધ્વનિઅર્થવૈજ્ઞાનિક પરિવર્તનો ભાષાના શબ્દોમાં કઈ રીતે આવ્યાં તે અહીં શોધનો વિષય છે. સાહિત્યમાં પ્રયોજાતી પારિભાષિક સંજ્ઞાઓના અર્થની ચોકસાઈ માટે આ વિજ્ઞાન મદદરૂપ નીવડે છે. હ.ત્રિ.