ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શબ્દાળુતા

Revision as of 12:12, 7 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શબ્દાળુતા(Verbosity) વિચારના સરલ પ્રત્યાયનને અભાવે, બિનજરૂરી રીતે શબ્દોના વિપુલ ઉપયોગનું વલણ એ ભાષાકીય અભિવ્યક્તિમાં જોવા મળતો મહત્ત્વનો દોષ છે. પત્રકારત્વનાં સામાન્ય કક્ષાનાં લખાણોમાં આ દોષ વિશેષ જોવા મળે છે. ચં.ટો.