ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાલ્ગારીતિ

From Ekatra Wiki
Revision as of 07:24, 9 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સાલ્ગારીરીતિ(Salgarism) : ઇટાલિયન લેખક એમિલિયો સાલ્ગારીની પરાક્રમકથાઓમાં પાત્રો જંગલમાં નાસતી વખતે બાઓબાબનાં મૂળિયાં પગમાં ભરાતાં ગબડી પડે ત્યારે કથાકાર બાઓબાબ પર વનસ્પતિ વિશેનો બોધ આપવા ક્રિયા થંભાવી દે છે. નવલકથામાં આ પ્રકારે ક્રિયા થંભાવી વિવરણો આપવાની પદ્ધતિ ર. વ. દેસાઈ અને બીજા નવલકથાકારોમાં જોઈ શકાય છે. ચં.ટો.