પરકીયા/નારંગી

From Ekatra Wiki
Revision as of 07:59, 17 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નારંગી

સુરેશ જોષી

એક વાર જ્યારે આ દેહની બહાર ચાલ્યો જઈશ
વળી શું પાછો નહિ આવું આ પૃથ્વી પર?

વળી પાછો આવી શકું
કોઈ એક શિયાળાની રાતે
એક ઠંડી નારંગીનું કરુણ માંસ લઈને
કોઈ એક પરિચિત મુમૂર્ષુના બિછાનાને કિનારે.