પ્રત્યંચા/ત્રિજ્યા

From Ekatra Wiki
Revision as of 06:32, 5 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ત્રિજ્યા| સુરેશ જોષી}} <poem> દૂરના વર્તુળની ત્રિજ્યા સમેટી ગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ત્રિજ્યા

સુરેશ જોષી

દૂરના વર્તુળની ત્રિજ્યા સમેટી ગઈ મને,
કૈં કેટલી યે સ્પર્શરેખા વિસ્તરે ચારે દિશે:

મારી જંઘાથી વહેતાં શોણિતે ધોતો દીઠો
દ્રૌપદીની સાડીઓને મેં દુ:શાસન;

મારી શિરાઓને ઉતરડી અર્જુન
ગાંડીવકેરી પણછ કરતો તંગ;

મારાં જ તીણાં અસ્થિની આ બાણશય્યાની ઉપર
હું સૂતો છું ભીષ્મ સાથે રે સદાયે;

મારા જ નિ:શ્વાસે ઘડ્યો’તો શાપ જે ગાંધારીએ
આજે ય તે વીંધ્યા કરે છે કૃષ્ણને;

દ્રોણસુતની સાથ હું યે જુગજુગે ભમતો ફરું,
દૂઝતા વ્રણની ચિરંજીવતા સદા વેઠ્યા કરું.