પ્રત્યંચા/હું

From Ekatra Wiki
Revision as of 06:25, 5 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હું| સુરેશ જોષી}} <poem> અંધારની રણરેતમાં મૃત ચન્દ્રકેરા પ્રે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હું

સુરેશ જોષી

અંધારની રણરેતમાં
મૃત ચન્દ્રકેરા પ્રેત શો ભમતો ફરું;

પવનનાં આ હાડ તીણાંની સરાણે
બુઠ્ઠાં થયેલાં શૂન્યની રે ધાર હું કાઢ્યા કરું;

તેજના મૃગજળતણે તળિયે જઈ
મારી છાયા ઊતરડી ડુબાડવાને હું મથું;

મૂચ્છિર્ત ઈશ્વરની લૂખી આંખો નિચોવી
આ મુમૂર્ષુ કાળના રે મુખમાં ટોયા કરું.