યાત્રા/અમોને સ્પર્શે છે

Revision as of 09:57, 22 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અમોને સ્પર્શે છે|}} <poem> અમોને સ્પર્શે છે અનિલ લહર, સૂર્યશશીના કુણા તીણા રશ્મિ, કર સુદ્ધના પૌરુષભર્યા, ભુજાઓ વહાલાંની, કર શિશુ તણા નિમલ નર્યા, અહા સંસ્પર્શીની મણિજડિત કેવી જ રશ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
અમોને સ્પર્શે છે

અમોને સ્પર્શે છે અનિલ લહર, સૂર્યશશીના
કુણા તીણા રશ્મિ, કર સુદ્ધના પૌરુષભર્યા,
ભુજાઓ વહાલાંની, કર શિશુ તણા નિમલ નર્યા,
અહા સંસ્પર્શીની મણિજડિત કેવી જ રશના!

સદા તારે સ્પશે પણ અમૃત કો એવું ઝરતું,
ટપી જાતું આ સૌ પ્રકૃતિમનુજોના પ્રણયને,
રચી અંગે અંગે અણુ અણુ વિષે નવ્ય લયને,
જલો આનંદોનાં પરમ ચિતિનાં તે નિતરતું.

અમારા મિટ્ટીને શિર વરદ તારો કર ફરે,
અને ત્યાં ઊર્ધ્વોનાં અમૃત શતનું સ્થાપન કરે.

એપ્રિલ, ૧૯૪૩