યુગવંદના/અસહ્ય વાત

From Ekatra Wiki
Revision as of 05:05, 27 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અસહ્ય વાત|}} <poem> મને મારનારા ગોળી છોડનારા એને ઘેર હશે મારા જ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
અસહ્ય વાત

મને મારનારા ગોળી છોડનારા
એને ઘેર હશે મારા જેવી જ મા,
એ હરેકને ધોળુડાં ધાવણ પાઈ
ઉછેર્યાં હોશે હૈયાહીર સમા.
કવિઓની કવિતામાં ગાયું હશે એણે.
માટીને પૂજી હોશે કહી ‘મા’;
એ મનેય જો અંતરિયાળ મળે
તો બોલાવે કહી ‘તમે કોણ છો, મા?’
છો સંહારે ચડ્યા આજે પેટને કારણ,
એક જ વાત સે’વાય છે ના –
એને મોતને પંથ ચડાવણ જીભ
બોલે છે: ‘મારો, મારો, માગે છે મા!’
૧૯૩૭