રવીન્દ્રપર્વ/૧૨૧. કેન રે એતઇ યાબાર

From Ekatra Wiki
Revision as of 06:49, 5 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૨૧. કેન રે એતઇ યાબાર| }} {{Poem2Open}} જવાની આટલી બધી ઉતાવળ શા માટે? વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૨૧. કેન રે એતઇ યાબાર

જવાની આટલી બધી ઉતાવળ શા માટે? વસન્ત, ગીતોની તારી ભારવાહી નૌકા શું ભરાઈ ગઈ? આટલામાં જ માધવી બધી જ પૂરી થઈ ગઈ? વનછાયા આખરી ભૈરવી ગાય છે — દાંડી પરથી ખરી પડેલી શિથિલ કરેણે શું વિદાય લઈ લીધી? તપ્ત દિવસોના સૂકા ઘાસનું આસન બિછાવીને અત્યારે જ તારું પીળું ઉત્તરીય ફેંકી દેશે? વિદાયના માર્ગ પર હતાશ બકુલ કપોતના કૂજનથી વિહ્વળ છે. ચરણની પૂજા માટે વસુન્ધરા ફૂલ ખેરવી રહી છે. (ગીત-પંચશતી)