વિદ્યાવિનાશને માર્ગે/વદામિ

Revision as of 11:09, 5 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વદામિ| સુરેશ જોષી}} {{Poem2Open}} હું કોઈ શિક્ષણશાસ્ત્રી કે તત્ત્વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વદામિ

સુરેશ જોષી

હું કોઈ શિક્ષણશાસ્ત્રી કે તત્ત્વચિન્તક હોવાનો દાવો કરતો નથી. શિક્ષણ, મારી દૃષ્ટિએ, એક કળા છે. પ્રત્યક્ષ અનુભવ જો કોઈ પ્રામાણ્ય હોય તો તે આ લખાણની પાછળ છે. વિદ્યાપીઠોના તન્ત્રમાં પ્રવર્તતી ગેરરીતિનો ભોગ બનનાર તરીકે પણ મને આ લખવાનો અધિકાર છે. આ મારું દૃષ્ટિબિન્દુ છે, એમાં ક્ષતિ સમ્ભવે તે સ્વીકારું છું. મારો આશય, આ નિમિત્તે, આપણા જીવનના એક મહત્ત્વના અંગ વિશે, ઊહાપોહ શરૂ થાય એ જ છે. છૂટા લેખો રૂપે આ બધું લખાયું હોવાને કારણે વિચારોનું પુનરાવર્તન પણ થયું હશે. એ બદલ ક્ષમા યાચું છું. – સુરેશ જોષી