સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ/ધર્મશાળા બનવું ન પાલવે

From Ekatra Wiki
Revision as of 13:14, 24 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} નાનકડાં સામયિક પતંગિયાની જેમ પુંકેસરનાં વાહકો છે. ઇતિહા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          નાનકડાં સામયિક પતંગિયાની જેમ પુંકેસરનાં વાહકો છે. ઇતિહાસ કહે છે કે જે સામયિકે નવી હવા પ્રવેશાવીને જૂનાં જાળાં ઉડાવી દેવાં હોય, તેને ‘ધર્મશાળા’ બની રહેવાનું ન પાલવે. આવાં સામયિકો જે સામગ્રી પ્રગટ કરે તેને આધારે નભતાં હોય છે એ જેટલું સાચું છે, તેટલું એ પણ સાચું છે કે અમુક સામગ્રી પ્રગટ નહિ કરીને પણ તે નભતાં હોય છે.