સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉપેન્દ્રાચાર્ય/ચારિત્રયવાન એટલે —

From Ekatra Wiki
Revision as of 06:29, 26 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ચારિત્રયવાન થવું એટલે ફૂલ કરતાં કોમળ થઈ જાણવું અને વજ્ર ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ચારિત્રયવાન થવું એટલે ફૂલ કરતાં કોમળ થઈ જાણવું અને વજ્ર કરતાં કઠોર પણ થઈ જાણવું; અત્યંત પ્રયત્નશીલ પણ થઈ જાણવું, અત્યંત શાંત પણ થઈ જાણવું; પ્રેમવાળા પણ થઈ જાણવું અને વિરાગવાળા પણ થઈ જાણવું; આપનાર થઈ જાણવું અને લેનાર પણ થઈ જાણવું; સુખ પણ હસીને ભોગવવું, દુઃખ પણ હસીને ભોગવવું; ભોગવી જાણવું અને સહી જાણવું; બોલી જાણવું અને મૌન પણ રહી જાણવું; જોઈ પણ જાણવું અને અંધ પણ થઈ જાણવું; અલ્પમાં જીવી જાણવું અને મરી પણ જાણવું. એ યથાર્થ ચારિત્રય છે.