સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/એ પાપ ધોઈ નાખવા —

From Ekatra Wiki
Revision as of 06:59, 27 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} હું આપણી સંસ્કૃતિનો ભક્ત છું. સહેજે નિંદા ન કરું. પણ હું કહ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          હું આપણી સંસ્કૃતિનો ભક્ત છું. સહેજે નિંદા ન કરું. પણ હું કહું છું કે જે દ્રોણાચાર્યે પાંડવો અને કૌરવોને તૈયાર કર્યા તે જ દ્રોણાચાર્યે દૂર રહીને એમની વિદ્યા લેનાર એક ભીલ કિશોરને કહ્યું કે, “તું આર્ય નથી, અનાર્ય છે. તું મારી પાસેથી વિદ્યા શીખ્યો છે, માટે ગુરુદક્ષિણા તરીકે તારો અંગૂઠો કાપી આપ.” એ જો અંગૂઠો જ કાપી આપે, તો પછી ધનુર્વિદ્યા કામ શું આવે? કેટલી એમની દુર્જનતા! ભેજું કેટલું દુષ્ટ થયું!... તે પાપ ધોઈ કાઢવા આપણે અનેક જન્મો સુધી પછાત વર્ગોની, હરિજનોની અને આદિવાસીઓની સેવા કરવી રહી. [વેડછીમાં ગાંધી વિદ્યાપીઠનું ઉદ્ઘાટન કરતાં : ૧૯૬૭]