સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કૃષ્ણલાલ શ્રીધરાણી/સંન્યાસ

From Ekatra Wiki
Revision as of 05:14, 28 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ગગા ઓઝાએ પુખ્તવયે ભાવનગર રાજ્યની દીવાનગીરી છોડી અને સંન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ગગા ઓઝાએ પુખ્તવયે ભાવનગર રાજ્યની દીવાનગીરી છોડી અને સંન્યાસ લીધો; શહેરથી દૂર નિવાસ કરી માળા જપવા લાગ્યા. પણ તેમની પછી આવેલા દીવાન સંબંધે જ્યારે પ્રજામાંથી ખૂબ ફરિયાદો આવવા લાગી, ત્યારે તેને બોલાવ્યો અને ભીંતની એક ખીંટી તરફ આંગળી ચીંધીને એ બોલ્યા : “મેં ભગવાં પહેર્યાં છે, પણ ત્યાં મારી જૂની નાગરશાહી પાઘડી, કેડિયું અને ધોતિયું ટાંગેલાં છે; નીચે લાકડી પણ લટકે છે. જો તમે નહીં સુધરો, તો ફરી એ પાઘડી પહેરી લઈશ ને તમારી ખબર લઈશ.” આવો અધિકાર સિદ્ધ વડીલોને રહેવાનો જ; પણ એ પહેલાં સંન્યાસ લેવાની શક્તિ જોઈશે. [‘સંસ્કૃતિ’ માસિક : ૧૯૯૮]