સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મકરન્દ દવે/નિરધાર

From Ekatra Wiki
Revision as of 04:10, 5 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> સાચને પડખે રહીને ઝૂઝતાં આપણે પળવાર પણ ખસવું નથી… જાલિમો ને ધૂર્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

સાચને પડખે રહીને ઝૂઝતાં
આપણે પળવાર પણ ખસવું નથી…
જાલિમો ને ધૂર્તના પાયે પડી
કોઈ દી કોઈ મિષે નમવું નથી…
પ્રાણ મારા, એકલા આગે બઢો;
આજ બોલો, ‘ના, હવે ડરવું નથી.’…
સાચને પડખે પરાજય હો ભલે,
તે છતાં પાછું હવે ફરવું નથી.