સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનુભાઈ પંચોળી/સતયુગ અને કલિયુગ

From Ekatra Wiki
Revision as of 11:15, 5 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} અસત્ય, હિંસા સતયુગમાં હોતાં નથી તેવું નથી; પણ સતયુગમાં તે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          અસત્ય, હિંસા સતયુગમાં હોતાં નથી તેવું નથી; પણ સતયુગમાં તેની પ્રતિષ્ઠા હોતી નથી અને તે સર્વોપરી ગણાતાં નથી. કલિયુગમાં સત્ય, પ્રેમ, દયા હોતાં નથી તેમ નહીં; પણ તેમની ઠેકડી ઉડાડાતી હોય છે. કલિયુગનો અર્થ એ કે શરીરસુખને જ સર્વ કાંઈ ગણવું, અને તેને ટકાવવાના સાધનરૂપે બળ ઉપર જ બધો આધાર રાખવો.