સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મીરાં/ક્હાન રાખે તેમ રહીએ

From Ekatra Wiki
Revision as of 09:47, 23 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ક્હાન રાખે તેમ રહીએ ઓધવજી, ક્હાન રાખે તેમ રહીએ;
કોઈ દિન પે’રણ હીર ને ચીર, કોઈ દિન સાદાં રહીએ.

કોઈ દિન ભોજન શીરો ને પૂરી, કોઈ દિન ભૂખ્યાં રહીએ;
કોઈ દિન રહેવાને બાગબગીચા, કોઈ દિન જંગલ રહીએ.

કોઈ દિન સૂવાને ગાદી ને તકિયા, કોઈ દિન ભોંય સૂઈ રહીએ.
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, સુખદુઃખ સૌ સહી રહીએ.