સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/અરસિક શિરોમણિને યે

From Ekatra Wiki
Revision as of 12:43, 28 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઘણા સાહિત્યકારો કે કલાકારો પોતાની કૃતિનો આનંદ પામવા માટે લોકો પાસે ચોક્કસ રસવૃત્તિની કે કેળવણીની અપેક્ષા રાખે છે. પણ અરસિક શિરોમણિને યે રસ પમાડે એ જ સાચો કવિ કહેવાય. કોકિલા ગાય છે, તે સૌનું ધ્યાન ખેંચે છે; એને કેળવાયેલા કાનની અપેક્ષા નથી. સુંદર કમળો ખીલે છે, તે સૌનું મન ખેંચી લે છે; એને કેળવાયેલી દૃષ્ટિની અપેક્ષા નથી.