સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શામળ/સપૂત કોણ?

From Ekatra Wiki
Revision as of 09:11, 29 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



સપૂત તેહ કહેવાય, જે સીધે મારગ ચાલે;
સપૂત તેહ કહેવાય, અધર્મને જે ટાળે;
સપૂત તેહ કહેવાય, જે સ્વજનને સુખ આપે;
સપૂત તેહ કહેવાય, દીનનાં દુ:ખડાં કાપે;
વળી સપૂત તેનું નામ છે, જેણે પ્રભુને પ્રીતે અરચિયા;
શામળ કહે સપૂત નરે દામ પરમારથ ખરચિયા.
સપૂત તેહ કહેવાય, વેપારથી જોડે ગર્થ;
સપૂત તેહ કહેવાય, પુણ્ય કરે હરિ અર્થ;
સપૂત તેહ કહેવાય, ચોરીચાડી નવ કરતો;
સપૂત તેહ કહેવાય, અપયશથી રહે ડરતો;
સપૂતને સુખ છે સ્વર્ગમાં, જોતાં સદ્ગુણ અતિ ઘણા;
શામળ કહે આ અવનિમાં, ધન્ય અવતાર છે નર તણા.